top of page
Post: Blog2_Post

The Incident of Mahabharata - મહાભારતની ઘટના


ree

મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પુત્રોના મૃત્યુથી દુખી થયેલા ધૃતરાષ્ટ્ર મહાત્મા વિદુરને બોલાવ્યા. એમની સાથે સત્સંગ કરીને પોતાના દુખને ભૂલવાનો પ્રયાસ કરવા લાગ્યા. ચર્ચા દરમ્યાન ધૃતરાષ્ટ્ર પૂછ્યું કે વિદુરજી ! આપણા પક્ષનો એકે એક યોદ્ધો એટલો સક્ષમ હતો કે તે જ્યારે સેનાપતિ બન્યો ત્યારે પોતાના પરાક્રમથી પાંડવોના છક્કા છોડાવી દીધા. બધા જાણતા હતા કે આ જીવનમરણનું યુદ્ધ છે. આ વાતને યાદ રાખીને જો તેઓ સેનાપતિ બન્યા પછી જ પોતાનું પરાક્રમ બતાવવાના બદલે પહેલેથી જ પોતાનું કર્તવ્ય સમજીને સાથે મળીને પોતાનું પરાક્રમ બતાવત તો શું યુદ્ધમાં આપણને જીત ન મળત?


મહાત્મા વિદુરે કહ્યું કે રાજન્ ! આપની વાત બિલકુલ સાચી છે. જો તેઓ એવું કરત તો અવશ્ય જીત જાત, પરંતુ પોતે એકલા જ વધારે યશ મેળવવાની લાલસા તથા પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાના અહંકારે તેમનામાં કર્તવ્ય નિભાવવાનો ઉમંગ પેદા ન થવા દીધો. જો તેમણે પોતાના કર્તવ્યનો વિચાર કર્યો હોત તો તેઓ પાંડવોને તેમના હકનું રાજ્ય આપીને યુદ્ધ ટાળી શક્યા હોત. જે જેવું કરે છે એવું જ ફળ તેને મળે છે. તેથી હે રાજન! આપ કૌરવોની હાર તથા તેમના મૃત્યુ માટે શોક ના કરશો.


Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page