top of page
Post: Blog2_Post

The importance of sweet speech - મધુર વાણીનું મહત્વ


સરસ્વતી માતાના હાથમાં વીણા છે. તેમનું વાહન મોર છે. મોર અર્થાત્ મધુર બોલનાર. જો આપણે સરસ્વતી માતાની કૃપા મેળવવી હોય તો આપણે તેમના વાહન મોર જેવા બનવું જોઈએ. બધાની સાથે મીઠાશથી, નમ્રતા, સજ્જનતા, શિષ્ટતા અને આત્મીયતાથી બોલવું જોઈએ. જીભથી કડવું, અપ્રિય તથા અશિષ્ટ કદાપિ ન બોલવું જોઈએ. નાનાઓને પણ તું નહિ પણ તમે કે આપ કહેવું જોઈએ. દરેકનાં સન્માનનું રક્ષણ કરવું જોઈએ. બધા સાથે સન્માનભર્યો વ્યવહાર કરવાથી આપણે કશું ગુમાવવાનું નથી. બીજાને દુખ થાય એવાં કડવાં વચનો બોલવાનું પાપ ન કરવું જોઈએ.


Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021

Commentaires


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page