top of page
Post: Blog2_Post

Building a future generation - ભાવિ પેઢીનું નિર્માણ


રામકૃષણ પરમહંસની માતા વૃદ્ધાવસ્થામાં ગંગાતીર્થ પર રાસમણિના કાલીઘાટ પર રહેવા લાગ્યાં. રાણી રાસમણિના જમાઈએ એમના નિર્વાહ માટેની વ્યવસ્થા કરવાની ઇચ્છા દર્શાવી, તો માતાએ કહ્યું, “ના, મારે કશું જોઇતું નથી. હું મજામાં છું. રોજ સવારે ગંગાસ્નાન કરું છું અને કાલીમાનો પ્રસાદ લઉં છું. મારે માટે આજ ઘણું છે.” એમના ઘણા આગ્રહથી એમણે ફકત બે પૈસાનું પાન મંગાવી એમનો આગ્રહ પૂરો કર્યો. આ સાંભળી તેઓ બોલી ઉઠયા, “હા મા, જે આવો ત્યાગ ન હોત તો પરમહંસદેવ કેવી રીતે જન્મ્યા હોત?"


માતાપિતાના સ્વભાવનો પ્રભાવ સંતાન પર અવશ્ય પડે જ છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી -2001

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page