top of page
Post: Blog2_Post

The purpose of the incarnation - અવતાર નો ઉદેશ્ય



અત્યારે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે યુગપરિવર્તનનો સમય છે. પહેલાં પણ યુગપરિવર્તન થયું હતું. તેને સામૂહિક વિકસિત ચેતના કહી શકાય. તે ચેતના બગડેલી પરિસ્થિતિને સુધારવા માટે આયોજનબદ્ધ રીતે નવી વ્યવસ્થા કરવા અને પ્રાણવાન પ્રતિભાઓને ભેગી કરીને યુગધર્મને નિભાવવાનો સરંજામ પૂરો પાડે છે. આ પ્રવાહનું નામ જ અવતાર છે. આજે એ જ મહાકાળની પ્રબળશક્તિ યુગપરિવર્તન માટે નવી પરિસ્થિતિ પેદા કરી રહી છે. જાગ્રત આત્માઓએ સમયને ઓળખીને પોતે પણ એ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા જોઈએ. શ્રેય મેળવવાનો તથા અવતારી સત્તાના સહયોગી બનવાનો આ જ યોગ્ય સમય છે.


Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page